નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસથી હાહાકાર મચી ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 90123 દર્દીઓ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં કોરોનાથી 1290 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 50,20,360 પાર ગયો છે. જેમાંથી  9,95,933 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જ્યારે 39,42,361 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 82,066  લોકોના મૃત્યુ થયા છે. 


Corona Update: દેશમાં કોરોના સંક્રમિતો 50 લાખને પાર, છેલ્લા 11 દિવસમાં 10 લાખથી વધુ કેસ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી વધુ મૃત્યુવાળા 10 રાજ્યો
કોરોનાથી સૌથી વધુ મોત થયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત 8માં સ્થાને છે. પહેલા નંબરે મહારાષ્ટ્ર છે જ્યાં કોરોનાથી 30409 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે બીજા નંબરે તામિલનાડુ આવે છે જ્યાં 8502 લોકોના મૃત્યુ થયા છે. ત્રીજા નંબરે કર્ણાટક જ્યાં 7481 લોકોના મોત થયા છે. ચોથા નંબરે આંધ્ર પ્રદેશ (5041), પાંચમા નંબરે ઉત્તર પ્રદેશ (4604), છઠ્ઠા નંબરે દિલ્હી (4806), સાતમા નંબરે પશ્ચિમ બંગાળ (4060), આઠમા નંબરે ગુજરાત (3247), નવમા નંબરે પંજાબ (2514) અને દસમા નંબરે મધ્ય પ્રદેશ (1820) આવે છે. 


માત્ર 4 કલાકની નોટિસ પર કેમ થયું હતું Lockdown, તેનાથી શું ફાયદો થયો? સરકારે આપ્યો જવાબ 


મંત્રાલયના જણાવ્યાં મુજબ કુલ એક્ટિવ કેસમાંથી 60.35 ટકા કેસ મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને તામિલનાડુથી આવે છે. અત્યાર સુધીમાં સ્વસ્થ થયેલા લોકોમાં પણ સૌથી વધુ લગભગ 60 ટકા (59.42 ટકા) આ રાજ્યોમાંથી જ છે. દેશમાં કોવિડ-19થી મૃત્યુદર 1.64 ટકા છે. 


આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ સંક્રમણના કારણે મૃત્યુ પામનારા 70 ટકાથી વધુ લોકો બીજી બીમારીઓથી પણ પીડાતા હતાં. મંત્રાલયે પોતાની વેબસાઈટ પર આ જાણકારી આપી અને કહ્યું કે અમારા આંકડાની મેળવણી આઈસીએમઆર સાથે કરવામાં આવી રહી છે. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube